તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક એવો શો છે, જે છેલ્લા ૧૩ વર્ષથી નાના પડદાના દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો ૨૦૦૮માં શરૂ થયો હતો અને તેણે અત્યાર સુધીમાં ૩૦૦૦થી વધુ એપિસોડ પૂરા કર્યા છે. જ્યારે શોના તમામ પાત્રોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે, ત્યારે જેઠાલાલ અને દયાબેને દર્શકોના દિલ અને દિમાગમાં પોતાના માટે એક વિશેષ સ્થાન બનાવ્યું છે. દયાબેન એટલે કે દિશા વાકાણી ઘણા સમયથી શોમાંથી ગાયબ છે. આવી સ્થિતિમાં દર્શકો તેના વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સમયાંતરે તેના પરત ફરવાના અહેવાલો આવતા હતા. જો કે હજુ સુધી તેના પરત ફરવા પર મેકર્સ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
વાંચો: જો તમારી ઉંમર 18 વર્ષની થઈ છે, વોટર આઈડી કાર્ડ નથી બનાવ્યું તો તમે પણ ઘરે બેઠા આટલું કરો...
શોમાં પરત ફરવાની તૈયારી કરી રહી છે દિશા વાકાણી!
પરંતુ, હવે તાજેતરના અહેવાલો કહે છે કે દિશા વાકાણી, જે દયાબેનનું પાત્ર ભજવે છે, તે થોડા મહિનાના વિરામ પછી શોમાં પરત ફરવા માટે તૈયાર છે. કહેવાની જરૂર નથી કે આ અહેવાલોએ ફરી એકવાર ચાહકોને શો વિશે ઉત્સાહિત કર્યા છે. સૂત્રોનો દાવો છે કે દયાબેને નિર્માતાઓ પાસેથી દરેક એપિસોડ માટે તગડી ફીની માંગણી કરી છે.
૧.૫ લાખ ફી માંગી હતી
રિપોર્ટ્સ અનુસાર, દિશાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દરેક એપિસોડ માટે ૧.૫ લાખ રૂપિયાની માંગણી કરી છે. આ સિવાય તેની એક શરત પણ છે કે તે દિવસમાં માત્ર ૩ કલાક જ શૂટિંગ કરશે. કારણ કે, તે પોતાના પરિવારને પણ સમય આપવા માંગે છે. જો કે, હજુ સુધી દિશા વાકાણી કે મેકર્સે આ રિપોર્ટ્સ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
તમને જણાવી દઈએ કે, દિશા વાકાણીએ ૨૦૦૪માં હિટ ટીવી શો ખીચડીથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે ઘણા ગુજરાતી શોમાં જોવા મળી હતી, પરંતુ તેણીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનના પાત્ર દ્વારા દેશભરમાં ઓળખવામાં આવી હતી.